Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh ના ગીર જંગલની અદ્ભૂત ઘટના: રૂંવાડા ઉભા કરી દેતાં રેર ઓફ ધ રેર દ્રશ્યો કેમેરામાં થયા કેદ

સાસણ ગીરમાં જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓની જીપ્સી સામે જ સિંહણે ગાયનો લાઈવ શિકાર કર્યો હતો. ગણતરીની સેકન્ડોમાં અન્ય સિંહ પણ શિકારમાં જોડાયો હતો. આ થ્રિલર દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
junagadh ના ગીર જંગલની અદ્ભૂત ઘટના  રૂંવાડા ઉભા કરી દેતાં રેર ઓફ ધ રેર દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Advertisement
  • Junagadh ના ગીર જંગલની અદ્ભૂત ઘટના આવી સામે
  • સફારી દરમિયાન બે સિંહે કર્યો ગાયનો શિકાર
  • પ્રવાસીઓની નજર સામે જ જોયો ગાયનો શિકાર

Junagadh: જૂનાગઢના સાસણ ગીર (Sasan Gir) જંગલમાંથી કુદરતની એક અદ્ભૂત અને થ્રિલર ઘટના સામે આવી છે. જંગલ સફારી (Jungle Safari) કરી રહેલા પ્રવાસીઓની જીપ્સીની પાછળ જ એક સિંહણ ચાલી રહી હતી. ત્યારે અચાનક જ સામે આવેલી ગાય પર સિંહણે પલકવારમાં તરાપ મારી હતી. પ્રવાસીઓની નજર સામે જ સિંહણે શિકાર દબોચી લેતા વાતાવરણમાં ડર વ્યાપી ગયો હતો. જંગલના આ રૌદ્ર સ્વરૂપને જોઈને પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

JUNAGADH_LION_VIDEO_GujaratFirst

Advertisement

Junagadh: પ્રવાસીઓએ ઘટનાને  કેમેરામાં કેદ કરી

આ ઘટનામાં સિંહણની ચપળતા (Agility) જોવા જેવી હતી. સિંહણે ગાય પર હુમલો કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ અન્ય એક સિંહ પણ ત્યાં પહોંચી ગયો હતો અને તે પણ ગાય પર તૂટી પડ્યો હતો. પ્રવાસીઓએ આ આખી ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. શિકાર કરવાની સિંહોની આ શૈલી જોઈને સફારી કરી રહેલા લોકો અચંબિત થઈ ગયા હતા. સાસણ ગીરના ઈતિહાસમાં આવી લાઈવ હંટિંગની ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે.

Advertisement

JUNAGADH_LION_VIDEO_GujaratFirst 33

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ શિકારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર અત્યંત ચર્ચાસ્પદ બન્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સિંહોની તાકાત અને શિકાર કરવાની આવડત સ્પષ્ટપણે જોઈ શકાય છે. પ્રવાસીઓ માટે આ અનુભવ જીવનભરનું સંભારણું બની ગયો છે.

સામાન્ય રીતે જંગલમાં સિંહો આરામ કરતા જોવા મળતા હોય છે, પરંતુ આ રીતે પ્રવાસીઓની હાજરીમાં જ શિકાર કરવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.  ઉલ્લેખનયી છે કે જંગલી જાનવરો ક્યારે આક્રમક બને તે નક્કી હોતું નથી, તેથી અંતર જાળવવું અત્યંત અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Bhavnagar: પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×