આજે ભગવાન રામનાં જન્મની ગુજરાતના વિવિધ શહેરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
અમદાવાદ, સુરત, વડોદરા રાજકોટ જેવા મહાનગરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાવામાં આવી.
અમદાવાદમાં પ્રેમ દરવાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદે સરયુ મંદિરથી શોભાયાત્રા ક
ાઢી હતી.
ગાંધીનગર ખાતે પણ વિવિધ રથ થકી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સુરતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા.
વડોદરાનાં ફતેપુરામાં ગણેશ બાળ યુવક મંડળ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી.
રાજકોટની શોભાયાત્રામાં અયોધ્યા રામ મંદિરની જેમ ભગવાન રામની આબેહૂબ પ્રતિમા તૈયાર કરાઈ હતી.
વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ રાધેશ્યામ ગૌશાળા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.