IPL માં મહેન્દ્રસિંહ ધોનીને લઈને ચાહકોમાં ઘણું અસમંજસ છે
ધોની આ વર્ષે 7 જુલાઈના દિવસે 42 વર્ષના થવાના છે
તેવામાં આ તેમની છેલ્લી IPL હોઈ શકે છે
આ મામલે ચૈન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીના CEO એ મહત્વની જાણકારી આપી
ચૈન્નઈ સુપર કિંગ્સે CEO કાશી વિશ્વનાથનનો વીડિયો શેર કર્યો
તેમણે કહ્યું, અમને આશા છે કે ધોની આગામી સિઝન પણ રમશે
ધોનીનું આગામી સિઝન રમવું અને ચાહકોનો સપોર્ટ મળવાની આશા છે
ધોનીના નેતૃત્વમાં ચૈન્નઈએ 4 વખત IPL નો ખિતાબ જીત્યો છે
આ સિઝનમાં ચૈન્નઈએ અત્યાર સુધીમાં 13 માંથી 7 મેચ જીતી છે