બોટાદ જિલ્લાના રાણપુરનાં ગોધાવટા કોઝવેમાં ગઈકાલે કાર તણાઈ હતી. 

ઘટનાનાં 16 કલાક બાદ કારમાં સવાર સ્વામીનો મૃતદેહ મળ્યો છે. 

સાળંગપુર BAPS મંદિરનાં શાંતિ ચરિતસ્વામીનું આ દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયું છે.

ગત મોડી રાતે રાણપુરનાં ગોધાવટાનાં કોઝવેમાં એક કાર તણાઈ હતી. 

ઘટના સમય આ કારમાં 7 લોકો સવાર હતા, જે પૈકી 4 લોકોનો બચાવ થયો હતો. 

આ ઘટનામાં 2 લોકોનાં મૃત્યુ થયા હતા. જ્યારે શાંતિ ચરિતસ્વામી લાપતા હતા. 

NDRF ની ટીમે 16 કલાકની ભારે જહેમત કરી સ્વામીનો મૃતદેહ શોધી કાઢ્યો.

કાર તણાઈ જવાની આ ગોઝારી દુર્ઘટનામાં સ્વામી સહિત 3 લોકોનાં મોત નીપજ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home