પાકિસ્તાન સામે 'ઓપરેશન સિંદૂર' ની સફળતા બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.
દેશભરમાં 13 થી 23 મે સુધી 10 દિવસ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદમાં આજે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલ, સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા.
આ યાત્રામાં રેડ ક્રોસ, સરદાર ધામ સહિતની વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ હતી.
તમામ ધર્મના નાગરિકોએ આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભાજપ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.