આવતીકાલે સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા રાજકોટ ખાતે યોજાશે.
આવતીકાલે સવારે 11 કલાકે સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
11.30 કલાકે પરિવારજનોને સ્વ. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે.
બપોરે 12.30 થી 2.00 કલાક દરમિયાન અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે.
12.00 થી 2.30 કલાક દરમિયાન રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે.
2.30 થી 4.00 કલાકે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને જવા રવાના થશે.
4.00 થી 5.00 નિવાસસ્થાને પાર્થીવદેહના દર્શન, 5 વાગ્યે અંતિમયાત્રા અને સાંજે 6 વાગ્યે અંતિમ સંસ્કારની વિધિ થશે.
17 જૂન, 2025 નાં રોજ રેસકોર્સ મેદાને પ્રાર્થના સભા યોજાશે, 19 જૂને ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાશે.
20 જૂનનાં રોજ ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.