Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
અમદાવાદના જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો.
પહિંદ વિધિ બાદ મુખ્યમંત્રી અને DYCM હર્ષભાઈ સંઘવીએ સ્વયં રથ ખેંચીને 149મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.
'જય રણછોડ, માખણચોર' અને 'જય જગન્નાથ'ના ગગનભેદી નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
ભગવાનની નગરચર્યાના પ્રારંભે ગજરાજની સવારી નીકળતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.