ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાને ગણતરીનાં દિવસો બાકી છે.  

જમાલપુરમાં જગન્નાથજી મંદિરે દરરોજ હજારો ભક્તો મહાપ્રસાદનો લહાવો લઈ રહ્યા છે.

મંદિરમાં વર્ષોથી ભગવાનને ભોગ ધરાવેલ પ્રસાદનું ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. 

જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. 

ભગવાન જગન્નાથજીને દરરોજ 1 હજાર લિટર દૂધમાંથી બનાવેલ દૂધપાક ધરાવાય છે. 

50 કિલો લોટના ખીરામાંથી તૈયાર માલપુવા, વિશેષ ખીચડીનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવે છે. 

મોસાળ સરસપુરમાં રથયાત્રામાં આવતા ભક્તો માટે પંચાશેરીમાં ભંડારાની વ્યવસ્થાની કામગીરી શરૂ કરાઈ છે.

ભક્તોને પુરી શાક, બુંદીનો પ્રસાદ અપાશે. ભંડારા માટે અત્યારથી વાસણો, અન્ય વ્યવસ્થા ગોઠવાઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home