અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં મેઘરાજાના ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જાફરાબાદના ધારાબંદર વિસ્તારમાં પહોંચી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી જમવાની વ્યવસ્થા કરી.
ખાંભા અને રાજુલામાં 9 ઈંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા.
ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોના રહીશોને નદી-નાળાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી.
રાજુલા-સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર બંધ થતા મુસાફરોને ભારે હાલાકી.
ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલી 52,220 ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.
પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેકટર દ્વારા NDRFની ટીમ બોલાવવામાં આવી છે અને તંત્ર સતર્ક છે.