મારું ચાલે તો માતાનું મંદિર બનાવી દઉં, તે કદી ના મરે : ભારતીસિંહ
ભારતીસિંહ બે વર્ષની હતી ત્યારે તેના પિતાનું થયુ હતુ મોત, ત્યારે તેની માતાની ઉંમર 22 વર્ષની હતી.
પોડકાસ્ટમાં ભારતીસિંહે જણાવ્યુ કે, તેની માતા લોકોના ઘરે કામ કરતી હતી, અને વધેલુ ખાવાનું લઈને આવતી હતી.
ભારતીએ કહ્યું, મારી માતાનો મારી પર ખૂબ પ્રભાવ છે.મેં નક્કી કર્યું હતુ કે, મારે તેમને સારી લાઈફ આપવી છે.
ભારતીએ કહ્યું, મને એવુ લાગે છે કે મારી મમ્મી ક્યારેય ન મરવી જોઈએ, મને તેમની વગર શ્વાસ નહીં આવે.
ભારતીએ કહ્યું, મારુ ચાલે તો માતાનું મંદિર બનાવી દઉં, તેમની મૂર્તિ મૂકી દઉ.
મારી માતા ખૂબ સૂરત હતી, તે ધારેત તો બીજા લગ્ન કરી શકેત. પરંતુ તેને એવુ ન કર્યુ અને ઘરકામ કર્યું. હું કામવાળીની દીકરી છું.
જ્યારે હૈજા ફેલાયો હતો ત્યારે મારા પિતાને લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી.