લીંબુની છાલ ફેંકશો નહીં! બગીચાના છોડ માટે છે બેસ્ટ ફર્ટિલાઇઝર
લીંબુની છાલને કચરો સમજી ફેંકી દેવાની જગ્યાએ છોડ માટે ઘરે ખાતર બનાવી શકો છો.
લીંબુની છાલમાં રહેલા કુદરતી તેલ અને એસિડિક ગુણો જમીનની ગુણવત્તા સુધારવામાં અને છોડના વિકાસમાં મદદરૂપ થાય છે.
છાલને નાના ટુકડા કરીને કમ્પોસ્ટમાં ભેળવવાથી જમીનમાં પોષક તત્વો વધે છે.
લીંબુની તીવ્ર સુગંધ કુદરતી રીતે કીટાણુઓ અને કીડીઓને દૂર રાખે છે, જેથી કેમિકલ પેસ્ટિસાઈડનો વપરાશ ઘટે છે.