કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના શેરથાથી 'ખેત બચાવો અભિયાન'નો પ્રારંભ કરાવ્યો.
આ રાજ્યવ્યાપી અભિયાન 1 મહિના સુધી ચાલશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો ગામે-ગામ જઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે.
મંત્રીએ ખેડૂતોને જમીનના 25 ટકા ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા માટે અપીલ કરી.
ગુજરાતમાં અત્યાર સુધી 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે, લક્ષ્ય વધુ 5 લાખ ખેડૂતોને જોડવાનું છે.
સરકારી કચેરીઓ અને દૂધ મંડળીઓમાં અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ થશે.