રાજ્યમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
ગણેશ મંડળો દ્વારા વિવિધ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદનાં સ્મૃતિમંદિરમાં જંગલ બુક થીમ પર ગણેશોત્સવ ઊજવાઈ રહ્યો છે.
પર્યાવરણ અને પશુઓ બચાવવાનાં હેતુથી જગલબુક થીમ પર પંડાલ બનાવ્યો છે.
કચ્છનાં ભુજમાં ટીન સીટી ખાતે અંગદાન, ઓપરેશન સિંદૂરની થીમ પંડાલ બનાવ્યો છે.
સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં "ઓપરેશન સિંદૂર" થીમ પર પંડાલ તૈયાર કરાયો છે.
દાહોદ શહેરમાં એમજી રોડ પર ગણેશ પંડાલમાં વારાણસીની અદ્ભુત ઝાંખી તૈયાર કરાઈ છે.
વેરાવળમાં શ્રી સતીમાં યુવા ગ્રૂપે ચોકલેટમાંથી શ્રીજીની અનોખી પ્રતિમા બનાવી છે.
3500 ચોકલેટ, થર્મોકોલ અને જરીનો ઉપયોગ કર્યો, 20 યુવાનોએ 10 દિવસ સુધી મહેનત કરી.