Salangpur Dham : કષ્ટભંજનદેવ હનુમાનજીના ગર્ભગૃહમાં સુવર્ણ કળશથી વિશેષ સુશોભન
સાળંગપુરધામમાં અધિક જેઠ માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય વાઘા અને અલંકારોથી શણગારવામાં આવ્યા.
મંદિરના ગર્ભગૃહને બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરીને ભક્તિમય વાતાવરણ ઉભું કરવામાં આવ્યું.
દાદા સમક્ષ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવીને વિશેષ પૂજન કરવામાં આવ્યું.
પવિત્ર અધિકમાસ દરમિયાન પારિવારિક શાંતિ માટે અહીં હનુમાન ચાલીસા યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સાંજે દાદાના દિવ્ય રાજોપચાર પૂજનના આયોજન સાથે હરિભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી.