ઉનાળામાં શરીરને ઠંડું રાખવું જરૂરી, ખોટો ખોરાક ડિહાઇડ્રેશન અને પેટની સમસ્યાઓ નોંતરે છે.
વધારે પડતું તળેલું ખાવાનું ટાળો. તે પચવામાં ભારે હોય છે અને શરીરમાં ગરમી તેમજ એસિડિટી વધારે છે.
તીખો અને મસાલેદાર ખોરાક શરીરનું તાપમાન વધારે છે, જેનાથી વધુ પરસેવો અને ડિહાઇડ્રેશન થાય છે.
નૂડલ્સ અને ફાસ્ટ ફૂડ પાચનતંત્રને નબળું પાડે છે, જેનાથી શરીરમાં થાક અને ભારેપણું લાગે છે.
ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સમાં રહેલું કેફીન શરીરમાં પાણીની અછત પેદા કરી શકે છે.
વધુ પડતી મીઠી વસ્તુઓ ખાવાથી વારંવાર તરસ લાગે છે અને શરીર જલ્દી થાકી જાય છે.
વધારે મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને શરીરમાં પાણીની કમી થઈ શકે છે.