દરેક શાકભાજી કાચા ખાવા યોગ્ય નથી હોતા. અમુક શાકભાજી તમારા પાચનતંત્રને બગાડી શકે છે.
બટાકામાં સ્ટાર્ચ વધુ હોય છે અને તેને કાચા ખાવાથી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. તેને હંમેશા રાંધીને ખાઓ.
રીંગણમાં સોલેનાઈન નામનું તત્વ હોય છે, જે કાચા ખાવાથી ઉબકા અને માથાનો દુખાવો કરાવી શકે છે.
પાલકમાં ઓક્સાલેટ હોય છે, જે કિડની સ્ટોનનું જોખમ વધારે છે. હળવું બાફીને ખાવાથી તે વધુ પૌષ્ટિક બને છે.
ક્રુસિફેરસ શાકભાજી કાચા ખાવાથી પચવામાં ભારે પડે છે અને થાઈરોઈડની સમસ્યાવાળા લોકોને નુકસાન કરી શકે છે.
કાચી ફણસીમાં લેક્ટિન હોય છે જે પાચનમાં ગરબડ કરી શકે છે. તેને હંમેશા સ્ટીમ અથવા ફ્રાય કરીને ખાઓ.