તિહાર જેલનો અંડા સેલ ભારતની ઉચ્ચ સુરક્ષાવાળી જેલોમાંની એક છે.આ કોષનો આકાર ઇંડા જેવો છે
26/11 ના મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તહવ્વુર હુસૈન રાણાને દિલ્હીના તિહાર જેલના રાખવામાં આવશે
અંડા સેલ ખાસ કરીને ખતરનાક ગુનેગારો,ભયાનક કેદીઓ,આતંકવાદીઓ અને ઉચ્ચ જોખમ ધરાવતા કેદીઓને રાખવા માટે બનાવવામાં આવ્યો છે.
આ સેલમાં વીજળી નથી. સેલની આસપાસના સમગ્ર વિસ્તાર પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે.
કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓને અંડા સેલમાં બાજ નજર હોય છે
અંડા સેલની ચારે બાજુ લોખંડના સળિયાથી ઘેરાયેલો છે.
આ સેલમાં કોઈ બારી નથી. સેલમાં ખૂબ જ ઓછો પ્રકાશ આવે છે,જેના કારણે દિવસ દરમિયાન પણ અંધારું રહે છે.