ગણેશ ચતુર્થીના રોજ ઘરને શણગારવામાં આ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખો
ગણેશ ચતુર્થી પર્વે તમારા ઘરના મુખ્ય દરવાજે સ્વસ્તિકને દોરી શકો છો
મુખ્ય દરવાજા પર રંગોળી બનાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે
મુખ્ય દરવાજાની શાખને ગલગોટાના ફૂલો અને કેરીના પાનથી પણ સજાવી શકો છો
ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે લાકડાની ચોકીનો ઉપયોગ કરવો જોઈએ
આ ચોકી પર પીળા અથવા લાલ રંગનું કપડું મુકવું જોઈએ
આ ચોકી પર ગણેશજીની મૂર્તિ સિવાય કેળાના પાન, ફૂલો, તોરણ વગેરે મૂકી શકો છો
આ રીતે ચોકી શણગારવાથી ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહે છે