કડી તાલુકાના થોળ નજીક પાંજરાપોળમાં 15 થી 20 ગાયોનું મોત નીપજ્યું છે.

મહેસાણા પાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયો અહીં રખાતી હતી.

ગાયો માટે પાલિકા દ્વારા પાંજરાપોળમાં પૈસા પણ અપાતા હતા. 

છતાં 15 થી 20 ગાયોનાં મોત થતા અનેક સવાલ ઊભા થયા છે. 

ખાનગી ટ્રસ્ટ જ્યારે પાંજરાપોળ પહોંચ્યુ, ત્યારે મૃત ગાયોને ટ્રેકટરમાં ભરાતી હતી. 

This browser does not support the video element.

ખાનગી ટ્રસ્ટે પોલીસને જાણ કરતા બાવલું પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.

પાંજરાપોળમાં ખોરાકની અછતથી ગાયોનાં મોત થયા હોવાની આશંકા છે. 

પાંજરાપોળની દયનીય સ્થિતિ જોઈને માલધારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.

ગાયોનાં મોતની યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવા માગ ઊઠી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home