અત્યારે ગુજરાત જ નહિ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો માહોલ છે
રોજ થતી ગણેશ પૂજામાં ભગવાન ગણેશને પ્રિય એવા ફુલો અર્પણ કરો
ગણેશજીને પ્રિય એવા ફુલો અર્પણ કરીને તેમની વિશેષ કૃપા મેળવી શકાય છે
સફેદ રંગની પાંદડીઓ અને તેમાં લાલ નાનકડું વર્તુળ ધરાવતા પારિજાતના ફુલો ભગવાન ગણેશજીને અતિપ્રિય છે
સંતાન સુખ માટે પારિજાતના ફુલોથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરો
ભગવાન ગણેશજીની પૂજા અર્ચનામાં જાસૂદના ફુલોનો ઉપયોગ કરવાથી જીવનમાં સમૃદ્ધિ મેળવી શકાય છે
લગ્ન સંબંધી સમસ્યાઓથી પીડાતા હોવ તો તમારે ગણેશજીની પૂજા અર્ચના જાસૂદના ફુલોથી કરવી જોઈએ