વડોદરા રેલવે સ્ટેશન પરથી દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર જપ્ત કરાયા છે.
હાવડાથી ટ્રેન મારફતે મોટી સંખ્યામાં દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર લઈ જવાઈ રહ્યા હતા.
માહિતી અનુસાર, આ સસલા અને ઉંદરનાં જથ્થાને જામનગર ખાતે લઈ જવાઈ રહ્યા હતા.
જો કે, વડોદરા રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં તપાસ કરતા દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર જથ્થો મળી આવ્યો હતો.
ખૂબ જ નાના બોક્સમાં ખીચોખીચ સસલા અને ઊંદરને રાખવામાં આવ્યા હતા.
કેટલાક સસલા અને ઉંદર મૃત હાલતમાં પણ મળી આવ્યા હોવાની માહિતી છે.
આ સમગ્ર મામલે જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે.
દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર તસ્કરી કરાતી હતી કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.