સાળંગપુરધામમાં શનિવાર અને એકાદશીના પવિત્ર સંયોગે ભક્તિમય વાતાવરણ.
કષ્ટભંજનદેવ દાદાને આજે ફળોનો દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.
કેરી, કેળાં અને તરબૂચ જેવા વિવિધ ફળોથી દાદાનો અદભૂત શણગાર.
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી આ ભવ્ય આયોજન થયું.
સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી સંપન્ન થઈ.
સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી શણગાર આરતી.
હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ખાસ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું.
દાદાના દિવ્ય દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
'જય કષ્ટભંજનદેવ'ના નારાથી સાળંગપુરધામનું સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું.
ભક્તોએ દાદાના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી.
ફળોના અન્નકૂટ અને દિવ્ય શણગારના દર્શને ભક્તોના હૃદય જીતી લીધા.