કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો કર્યો દિવ્ય શણગાર
દાદા ચરણોમાં 108 કિલો શુદ્ધ અને સ્વાદિષ્ટ સુખડીનો અન્નકૂટ ધરાવાયો
શનિવારે વહેલી સવારે દાદાની ભવ્ય મંગળા આરતી બાદ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે દિવ્ય શણગાર આરતી કરવામાં આવી.
ભક્તોના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે મંદિર પટાંગણમાં 15 જૂન 2026 સુધી વિશેષ હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયું છે.
આ પવિત્ર અવસરે હજારો ભક્તોએ દાદાના શિખરે ધજા ચઢાવી, દિવ્ય દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.