અધિક જેઠ માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવને સફેદ વાઘા અને કસુંબલ પાઘડી અર્પણ કરવામાં આવ્યા.
દાદાના દરબારમાં કૂવો, બળદગાડું અને માટીના ઘર સાથે ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરતો વિશેષ શણગાર કરવામાં આવ્યો
આજે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામીએ દાદાની દિવ્ય આરતી ઉતારીને પૂજા-પાઠ સંપન્ન કરી હતી
સાણંગપુર મંદિર પરિસરમાં શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું
પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
યજ્ઞનો લાભ 17 મે થી 15 જૂન 2026 સુધી સવારે અને સાંજના સમય દરમિયાન ભક્તો લઈ શકશે
સાળંગપુર ધામમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા મેળવી