Salangpurdham : દાદા કષ્ટભંજનને ધરાવાયો 56 ભોગનો ભવ્ય અન્નકૂટ
સાળંગપુરધામના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 'પુરુષોત્તમ માસ' નિમિત્તે વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.
વડતાલધામ સંચાલિત સાળંગપુર મંદિરમાં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દિવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
દાદાના ચરણોમાં કાજુ કતરી, પેંડા અને ડ્રાયફ્રૂટ્સની મીઠાઈઓ સહિત ૫૬ ભોગ ધરાવીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
આ દિવ્ય દર્શનનો લાભ હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ રીતે લઈ ભક્તિમય માહોલમાં ધન્યતા અનુભવી હતી.