ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

સાણંદ તાલુકાનાં સનાથલ ગામનાં લંબે નારાયણ આશ્રમ ખાતે આ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. 

23 એપ્રિલથી 1 મે સુધી બગલામુખી માતાનો 108 કુંડી મહાયજ્ઞ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.  

આજે સાધુ-સંતો, મહંતો અને સેવકોની હાજરીમાં ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરૂણગીરીજી મહારાજ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. 

ઉપરાંત, ધ્વજારોહણ સમયે મહામંડલેશ્વરમાં વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા હતા. 

મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ અને મોટી સંખ્યામાં સેવકોએ પણ ધ્વજારોહણમાં હાજરી આપી હતી.  

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home