Shiv Puja Rules: ભગવાન શિવની પૂજામાં કેટલીક બાબતો વર્જિત છે.
હળદર:શિવલિંગ પર હળદર ન ચડાવો, કારણ કે તે સ્ત્રીત્વ અને સૌંદર્યનું પ્રતીક છે.
કેતકીનું ફૂલ:બ્રહ્માજીના ખોટા સાથને કારણે શિવે કેતકીના ફૂલનો ત્યાગ કર્યો છે.
શંખનું જળ: શિવે શંખચૂડનો વધ કર્યો હોવાથી શંખથી જલાભિષેક વર્જિત છે.
તુલસીના પાન: શિવ પૂજામાં તુલસી અર્પણ કરવા શાસ્ત્રોમાં નિષેધ છે.
બિલીપત્ર: પૂજામાં હંમેશા અખંડિત (આખા) બિલીપત્રનો જ ઉપયોગ કરવો.
આહાર શુદ્ધિ: પૂજાના દિવસે માંસાહાર, ડુંગળી-લસણ અને નશાનો ત્યાગ કરવો.
વ્યવહાર:મન શુદ્ધ રાખવું; ક્રોધ, અપશબ્દો અને અપમાનથી દૂર રહેવું.