ચોખા રાંધતા પહેલા તેને ધોવા જોઈએ કે નહીં?

ભારતીય ઘરોમાં ચોખા રાંધતા પહેલા તેને 2-3 વાર ધોવાની વર્ષો જૂની પરંપરા છે, જેથી તેની ઉપરની ગંદકી દૂર કરી શકાય.

નવા સંશોધનો દર્શાવે છે કે ચોખાને વધુ પડતા ધોવાથી તેમાં રહેલા આયર્ન, ઝિંક અને કોપર જેવા પાણીમાં દ્રાવ્ય પોષક તત્વો ઓછા થઈ શકે છે.

કેટલાક અભ્યાસોનું માનવું છે કે ચોખાને ધોવાથી તેમાંથી માઈક્રોપ્લાસ્ટિક અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ મળે છે.

આજના સમયમાં સુપરમાર્કેટમાં મળતા પેકેજ્ડ ચોખા પહેલેથી જ મશીનો દ્વારા સાફ કરેલા હોય છે, તેથી તેને વારંવાર ધોવાની જરૂર રહેતી નથી.

જો તમારે ચોખામાંથી ધૂળ કે માઈક્રોપ્લાસ્ટિક જેવી અશુદ્ધિઓ દૂર કરવી હોય, તો તેને માત્ર 1 કે 2 વાર હળવા હાથે ધોવા જોઈએ.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home