કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે.
વિવિધ કાર્યક્રમ થકી તેમણે કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
અમદાવાદના સોલામાં ઉમિયાધામ હોસ્ટેલ લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ DyCM નીતિનભાઈ પટેલ સહિત નેતાઓ હાજર રહ્યા.
સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય જે.એસ. પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
શ્રી સિદ્ધિ ગ્રૂપના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું.