અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજનો કાયાકલ્પ.
માત્ર 35 દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ
અંદાજે રૂ. 10 કરોડથી વધુના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા.
10 દરવાજાનું રીપેરીંગ થયું, ચોમાસા પહેલા જ બેરેજ બન્યો વધુ સુરક્ષિત
1976 માં બનેલા વાસણા બેરેજ અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્વનું માળખું.
જળ સંપત્તિ વિભાગની યાંત્રિક શાખાએ નિર્ધારિત સમય કરતાં વહેલું મિશન પાર પાડ્યું.
વાસણા બેરેજ હવે પાણી ભરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને આગામી સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.