પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન થતાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
This browser does not support the video element.
DNA ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ તેમનો મૃતદેહ અમદાવાદથી રાજકોટ લવાયો હતો.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી વિવિધ વિસ્તારો થઈને તેમના નિવાસસ્થાને લઈ જવાયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, મંત્રીઓ, નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી.
નિવાસસ્થાનેથી 7.40 વાગ્યે રામનાથપરા સ્મશાન સુધી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.
વરસાદમાં પણ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પોતીકા નેતાની અંતિમ યાત્રામાં જોડાયા હતા.
સ્મશાન યાત્રામાં હૈયેહૈયું દળાય એટલી ભીડ હતી. લોકોએ પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
વિવિધ ધર્મનાં હજારોની સંખ્યામાં લોકોએ વિજયભાઈને અશ્રુભીની આંખે આખરી વિદાય આપી હતી.
રામનાથપરા સ્મશાનગૃહમાં દીકરા ઋષભે પિતા વિજય રૂપાણીને અગ્નિદાહ આપ્યો હતો.