કોણ છે પ્રેમાનંદ મહારાજ? જાણો તેમના વિશે બધુ જ
પ્રેમાનંદ મહારાજનું પૂરુ નામ પ્રેમાનંદ ગોવિંદ શરણ છે
તેમનો જન્મ 30 માર્ચ 1969માં ઉત્તરપ્રદેશના કાનપુરના એક ગામમાં થયો હતો
તેમની માતાનું નામ રામા દેવી અને પિતાનું નામ શમ્બૂ પાંડે છે.
તેમણે માત્ર 13 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધુ હતુ અને સંન્યાસી બનવાનો નિશ્ચય કર્યો હતો.
શરૂઆતના દિવસોમાં તેઓ વારાણસીમાં ગંગા કિનારે સાધના કરતા હતા.
પ્રેમાનંદ મહારાજે કાનપુરમાં ધો.8 સુધી અભ્યાસ કર્યો છે. સંન્યાસગ્રહણ કર્યા બાદ તેમને આનંદ સ્વરુપ બ્રહ્મચારીનું નામ મળ્યુ ત્યારબાદ તેમને સ્વામી આનંદાશ્રમ નામ મળ્યું.
તેમણે વૃદાંવનમાં રાસલીલા જોઈ અને તેમણે રાધા વલ્લભ સંપ્રદાયમાં દીક્ષા લીધી
તેમને શરણાગતિ મંત્ર મળ્યો અને બડે ગુરુજી હિત ગૌરાંગી શરણજી મહારાજ પાસેથી નિજમંત્ર અને નિત્ય વિહાર રસની દીક્ષા પ્રાપ્ત થઈ.
2016માં પ્રેમાનંદ મહારાજે વૃંદાવનમાં શ્રી હીત રાધા કેલી કુંજ ટ્રસ્ટની સ્થાપના કરી.