દેવોના દેવ મહાદેવજીનો પ્રિય મહિનો એટલે શ્રાવણ
આ મહિનામાં મહાદેવજીની વિશેષ કૃપા મેળવી શકાય છે
માતા પાર્વતીને તેમની કઠોર તપસ્યાનું ફળ શ્રાવણ મહિનામાં જ મળ્યું હતું
મહાદેવજીએ સમુદ્ર મંથન બાદ વિષને પોતાના ગળામાં આ મહિનામાં જ સ્થાન આપ્યું હતું
ભસ્માસૂર નામક ભયાનક દૈત્યને મહાદેવજીએ શ્રાવણ મહિનામાં જ નાશ કર્યો હતો
આજે નાના-મોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે
શિવપૂજા વખતે શિવલિંગ પર જળ, દૂધ અને બિલી પત્રો ચઢાવવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે