Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પ્રજાના પ્રશ્નો માટે પૈસા નથી! તો પછી પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા? સ્થાનિકોએ ઠાલવ્યો રોષ

Ahmedabad: રૂપિયા અમદાવાદના 191 કોર્પોરેટર્સ અને 30 અધિકારી જનતના ટેક્સના બે કરોડ રૂપિયા ખર્ચે જમ્મુ કાશ્મીર જવાના છે.
ahmedabad  પ્રજાના પ્રશ્નો માટે પૈસા નથી  તો પછી પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા  સ્થાનિકોએ ઠાલવ્યો રોષ
Advertisement
  1. ભાજપની સરકાર પ્રજાને મૂર્ખ બનાવે છે: સ્થાનિકો
  2. બજેટમાં કરવામાં આવેલ જોગવાઈનાં કામો નથી થયા: સ્થાનિકો
  3. આવા પ્રવાસ કરી જનતાના રૂપિયા વેડફવા ન જોઈએ: સ્થાનિકો

Ahmedabad: અમદાવાદના કહેવાતા નગરસેવકો કાશ્મીરના પ્રવાસે જોવાના હોવાની વિગતો ગઈ કાલે સામે આવી હતી. જે મામલે અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. રૂપિયા અમદાવાદના 191 કોર્પોરેટર્સ અને 30 અધિકારી જનતના ટેક્સના બે કરોડ રૂપિયા ખર્ચે જમ્મુ કાશ્મીર જવાના છે. 192 કોર્પોરેટર્સની પાંચ દિવસ સ્ટડીના નામે કાશ્મીર ટૂર કરવાના છે. આ કોર્પોરેટર્સ કાશ્મીરની મુલાકાત લઈને ત્યાંનું કામકાજ જોવા જવાની છે. પરંતુ અમદાવાદ શહેરની હાલત કેવી છે? ચાલો તમને અને તમેન અમદાવાદની સ્થિતિ બતાવીએ.

Advertisement

કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાના કામ અધૂરા: સ્થાનિકો

અમદાવાદ શહેરમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવાનો ના તો આ કોર્પોરેટર્સને કોઈ રસ છે ના સમય! અમદાવાદના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા તો કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાના કામ અધૂરા છે. પરંતુ અમદાવાદના કોર્પોરટરોથી અમદાવદાના કામ અને તેની દેખરેખ તો થતી નથી. ત્યાં પ્રજાના પૈસાનો ધૂમાડો કરવા કાશ્મીર ટૂરનું પ્લાન કરી રહ્યાં છે. આ મામલે શહેરીજનોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: કામનું જે થવું હોય એ થાય! કહેવાતા નગરસેવકો પ્રજાના પૈસે શ્રીનગર જઈ મોજ કરશે

ફરવું જ હોય તો આતો તમારુ ગુજરાત મોડલ છે ફરોનેઃ સ્થાનિક

કહેવાતા નગરસેવકો (કોર્પોરેટરો)ના પ્રવાસ મુદ્દે અમદાવાદમાં આવેલી ઇન્ડીયા કોલોનીનાં સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે. સ્થાનિકોએ કહ્યું કે, ભાજપની સરકાર પ્રજાને મૂર્ખ બનાવે છે. સંજયનગર છાપરા વિસ્તારમાં ગટરોના કામ નથી થતા અને આ લોકો ફરવાનો પ્લાન કરી રહ્યાં છે.’ એક સ્થાનિકે કહ્યું કે, ‘ફરવું જ હોય તો આતો તમારુ ગુજરાત મોડલ છે ફરોને’. અન્ય સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘બજેટમાં કરવામાં આવેલ જોગવાઈનાં કામો થયા નથી. એટલું જ નહીં પરંતુ બાંકડા પણ ફાળવી શકતા નથી. ભાજપ માત્ર ઉત્સવો અને તાયફા કરી રહ્યું છે.’

Tags :
Advertisement

.

×