ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગરબા પ્રેમીઓ માટે Ambala Patel ની આ આગાહી ચિંતા વધારશે..!

Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે.
12:35 PM Sep 13, 2025 IST | Hardik Shah
Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે.
Ambalal_Patel_Prediction_Gujarat_First

Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) એ ફરી એકવાર મોટી આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, અને ખાસ કરીને નવરાત્રીના તહેવાર પર વરસાદનું વિઘ્ન આવી શકે છે.

14 સપ્ટેમ્બરથી વરસાદનો પ્રારંભ

અંબાલાલ પટેલ (Ambalal Patel) ના જણાવ્યા મુજબ, આજે બપોર બાદ એટલે કે 13 સપ્ટેમ્બર, 2025થી જ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. પરંતુ, વાસ્તવિક વરસાદની શરૂઆત 14 સપ્ટેમ્બરથી થશે. આ વરસાદ 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ચાલુ રહી શકે છે. આ દરમિયાન, ખાસ કરીને 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે.

આ આગાહી સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે પણ મહત્વની છે, કારણ કે આજથી જ ત્યાં વરસાદના હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. જણાવી દઇએ કે, આ વરસાદ બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે આવી રહ્યો છે.

નવરાત્રીમાં વરસાદી માહોલ અને ગરમીનું મિશ્રણ (Ambalal Patel Prediction)

ગરબા પ્રેમીઓ માટે અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી ચિંતાજનક સાબિત થઈ શકે છે. તેમના મતે, નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને, 25 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ પાછળનું કારણ સમજાવતા અંબાલાલ પટેલે જણાવ્યું કે સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને મંગળ પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે વરસાદની શક્યતાઓ વધશે. જોકે, વરસાદની સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ યથાવત રહેશે, જેથી વાતાવરણમાં બફારો અનુભવાશે.

કયા વિસ્તારમાં કેટલો વરસાદ?

સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી મુજબ, સપ્ટેમ્બરના અંતમાં પણ વરસાદ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર અને ત્યારબાદ 10-12 ઓક્ટોબર દરમિયાન પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની પણ શક્યતા છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ આગાહી નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય છે, ત્યારે ખેડૂતો માટે આ કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, સૌએ આ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવું જરૂરી છે.

આ પણ વાંચો :   ચંદ્ર ગ્રહણને લઈ Ambalal Patel ની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી

Tags :
Ahmedabad Gandhinagar rain forecastAmbalal PatelAmbalal Patel Predictionambalal patel weather forecastBengal Bay cyclone possibilityFarmers crop damage riskGarba festival weather updateGujarat FirstGujarat Navratri rainfall predictionGujarat rain prediction September 2025Gujarati NewsMonsoon withdrawal delayed GujaratNavratri rain alert GujaratSouth Gujarat heavy rainfallThunderstorm rain Gujarat SeptemberUnseasonal Rain in GujaratWeather predictionWeather prediction news
Next Article