દેશમાં આજે કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 56 દર્દીઓના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં ગુરુવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 2,380 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 56 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસ 13,000 થી ઉપર છે.અગાઉ, બુધવારે 24 કલાકમાં 2,067 નવા કેસ નોંધાયા હતા, જે મંગળવારે નોંધાયેલા 1,247 નવા સંક્રમણના કેસ કરતા વધુ ઝડપી છે. સરકારી ડેટા અનુસાર, ગુરુવાર સવાર સુધી દૈનિક પોઝિટિવિટી રેટ 0.53 ટકા હતો જ્યારે
Advertisement
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં ગુરુવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 2,380 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 56 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસ 13,000 થી ઉપર છે.
અગાઉ, બુધવારે 24 કલાકમાં 2,067 નવા કેસ નોંધાયા હતા, જે મંગળવારે નોંધાયેલા 1,247 નવા સંક્રમણના કેસ કરતા વધુ ઝડપી છે. સરકારી ડેટા અનુસાર, ગુરુવાર સવાર સુધી દૈનિક પોઝિટિવિટી રેટ 0.53 ટકા હતો જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.43 ટકા હતો. છેલ્લા 24 કલાકમાં ભારતમાં લગભગ 4.5 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 187.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે, કેન્દ્રએ પાંચ રાજ્યો - મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને મિઝોરમને પત્ર લખીને રાજ્યમાં COVID-19 યોગ્ય વર્તન ફરજિયાત બનાવવાની સલાહ આપી હતી. કેન્દ્રએ આ રાજ્યોને ચેપના ફેલાવા પર દેખરેખ રાખવા અને કોવિડ-19ના અસરકારક સંચાલન માટે જરૂરી પગલા લેવાની સલાહ આપી છે.
અત્યાર સુધીમાં કુલ 83.33 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,49,114 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, એક દિવસ પહેલા બુધવારે ભારતમાં કોવિડ-19ના 2,067 નવા કેસ સામે આવ્યા હતા.
Advertisement


