Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા કોરોનાથી સંક્રમિત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા શનિવારે રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  બીસીસીઆઈએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. એ પણ જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્મા હાલમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે.આ પહેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. અશ્વિન ટીમ સાથે લંડન ગયો ન હતો. à
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા કોરોનાથી સંક્રમિત
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા શનિવારે રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  બીસીસીઆઈએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. એ પણ જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્મા હાલમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે.

આ પહેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. અશ્વિન ટીમ સાથે લંડન ગયો ન હતો. જોકે હવે તે સ્વસ્થ છે.  ગયા અઠવાડિયે લંડન પહોંચેલ વિરાટ કોહલી પણ કોરોનાથી સંક્રમિત થયો   હતો જોકે હવે તે પણ સ્વસ્થ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ 1 જુલાઈથી શરૂ થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો એક ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પ્રવાસમાં પણ આ જ ટેસ્ટ લેવામાં આવી રહી છે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Advertisement
Tags :
Advertisement

.

×