દેશમાં આજે કોરોનાના નોંધાયા 2 હજારથી વધુ નવા કેસ, Active કેસની સંખ્યામાં થયો ઘટાડો
કોરોનાવાયરસને લઇને ભારત માટે આજે પણ કેટલાક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો વધારો થયો છે. આ સાથે આજે દેશમાં કોરોનાના 2100 થી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં રોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 2,139 નવા કેસ નોંધાયા છે જ
Advertisement
કોરોનાવાયરસને લઇને ભારત માટે આજે પણ કેટલાક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો વધારો થયો છે. આ સાથે આજે દેશમાં કોરોનાના 2100 થી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં રોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 2,139 નવા કેસ નોંધાયા છે જ્યારે 13 લોકોના મોત થયા છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 1,957 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 182 નો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં, 2,654 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 26,292 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 82નો ઘટાડો થયો છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,18,553 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,65,372 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,835 લોકોના મોત થયા છે.
Advertisement


