Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં આજે કોરોનાના નોંધાયા 6 હજારથી વધુ કેસ, 23 લોકોના મોત

ગુરુવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે પણ દેશમાં કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જોકે, હાલમાં કોરોનાના કેસ કંટ્રોલ છે પરંતુ હજુ પણ કોરોનાને પૂરી રીતે હરાવવામાં સમય લાગી શકે તેવુ દેખાઈ રહ્યું છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 6,298 નવા કેસ નોંધાયા છે જ્યારે 23 લોકà«
દેશમાં આજે કોરોનાના નોંધાયા 6 હજારથી વધુ કેસ  23 લોકોના મોત
Advertisement
ગુરુવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે પણ દેશમાં કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જોકે, હાલમાં કોરોનાના કેસ કંટ્રોલ છે પરંતુ હજુ પણ કોરોનાને પૂરી રીતે હરાવવામાં સમય લાગી શકે તેવુ દેખાઈ રહ્યું છે. 
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 6,298 નવા કેસ નોંધાયા છે જ્યારે 23 લોકોના મોત થયા છે. આ દરમિયાન 5,916 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 46,748 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 359 નો વધારો નોંધાયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,22,777 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,39,47,756 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,273 લોકોના મોત થયા છે.

સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,16,17,78,020 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 19,61,896 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×