Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah: શાહે કહ્યું- સંસદની સુરક્ષામાં ખામી પર વિપક્ષ કરી રહ્યો છે રાજનીતિ, 2024ની લોકસભા ચૂંટણીને લઈને કર્યો આ મોટો દાવો..

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં સુરક્ષામાં ખામીઓ પર વિપક્ષના આક્રમક વલણ પર વળતો પ્રહાર કર્યો છે. આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં અમિત શાહે બુધવારે...
amit shah  શાહે કહ્યું  સંસદની સુરક્ષામાં ખામી પર વિપક્ષ કરી રહ્યો છે રાજનીતિ  2024ની લોકસભા ચૂંટણીને લઈને કર્યો આ મોટો દાવો
Advertisement

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં સુરક્ષામાં ખામીઓ પર વિપક્ષના આક્રમક વલણ પર વળતો પ્રહાર કર્યો છે. આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં અમિત શાહે બુધવારે સંસદમાં સુરક્ષામાં ક્ષતિ અંગે કહ્યું કે, આ ગંભીર બાબત છે. પરંતુ બધા જાણે છે કે સંસદની સુરક્ષા સ્પીકરના નિયંત્રણમાં છે અને તેમણે આ અંગે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો.શાહે કહ્યું કે, અમે એક તપાસ સમિતિની રચના કરી છે અને તેનો રિપોર્ટ ટૂંક સમયમાં સ્પીકરને સોંપવામાં આવશે. ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું કે આ મામલાની તપાસની સાથે સમિતિને લોકસભાની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે સૂચનો આપવા પણ કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સુરક્ષામાં કોઈ ક્ષતિ ન હોવી જોઈએ, પરંતુ તે ભૂલને સુધારવાની જવાબદારી અમારી છે. તેમણે આ બાબતને રાજકીય મુદ્દો ન બનાવવા હાકલ કરી હતી.Image previewPM મોદી ત્રીજી વખત સરકાર બનાવશેઃ શાહઆગામી લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહે કહ્યું કે, 2024માં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોક્કસપણે સરકાર બનાવશે. શાહે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે સત્તારૂઢ ભાજપ 2019ની સરખામણીમાં સંસદીય ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરશે. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે પીએમ મોદી સતત ત્રીજી વખત સરકાર બનાવશે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓની પસંદગી અંગે તેમણે કહ્યું કે પાર્ટીએ પોતાના સારા કાર્યકરોને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. તેમણે શિવરાજ સિંહ ચૌહાણ, રમણ સિંહ અને વસુંધરા રાજે વિશે કહ્યું કે, જ્યારે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તેઓ સામાન્ય કાર્યકર હતા. પરંતુ તેમને પૂરતી તક આપવામાં આવી હતી.શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના રૂપમાં ભાજપ પાસે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા નેતા છે. પક્ષને મજબૂત કરવા અને કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવાના વડાપ્રધાનના કાર્યની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભાજપે મોટી સફળતા હાંસલ કરી છે અને ભાજપની જીતનું એકમાત્ર કારણ પીએમ મોદી છે.Image previewઈન્ડિયા ગઠબંધન પર કટાક્ષવિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર કટાક્ષ કરતા શાહે એ પણ પૂછ્યું કે તેનું અસ્તિત્વ ક્યાં છે. તેમણે કહ્યું કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, તેના ઘટક પક્ષોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ટીવી સ્ક્રીન સિવાય દેશમાં ક્યાંય ગઠબંધન દેખાતું નથી.ઉપરાંત, ગૃહ પ્રધાન શાહે સમાન નાગરિક સંહિતા અને નાગરિકતા (સુધારા) અધિનિયમને લાગુ કરવા માટે ભાજપની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો? તેમણે કહ્યું કે કોંગ્રેસે મત બેંકની રાજનીતિને કારણે યુસીસીને નકારી કાઢ્યું, જેનો ઉલ્લેખ બંધારણમાં નિર્દેશક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે, અને ભાજપ આ અંગે તેની પ્રતિબદ્ધતા સાથે ઊભો છે. તેમણે કહ્યું કે ધર્મનિરપેક્ષ સરકારની સૌથી મોટી નિશાની એ છે કે દરેક માટે સમાન કાયદા હોવા જોઈએ.

આ પણ વાંચો-સંસદમાં કરાયેલા હુમલાના છઠ્ઠા આરોપીઓ કર્યુ આત્મસમર્પણ

Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×