Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress : પુરીમાં કોંગ્રેસના ઉમેદવારે પછી ખેંચી ઉમેદવારી, કારણ જાણી ચોંકી જશે

Congress :સુરતઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર સુચારિતા મોહંતી (Sucharita Mohanty) એ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી.પાર્ટી ફંડિંગ વિના...
congress   પુરીમાં કોંગ્રેસના ઉમેદવારે પછી ખેંચી ઉમેદવારી  કારણ જાણી ચોંકી જશે
Advertisement

Congress :સુરતઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર સુચારિતા મોહંતી (Sucharita Mohanty) એ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી.પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. તમને જણાવી દઈએ કે સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.

પાર્ટી પર લગાવ્યો આરોપ

સુચારિતા મોહંતીએ કહ્યું કે પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. ઉલ્લેખનીય છે કે સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.

Advertisement

Advertisement

કોંગ્રેસ મહાસચિવને લખ્યો પત્ર

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં આપણું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા (Odisha) કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમારને કહ્યું તો તેમણે કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.

પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો

કોંગ્રેસના(Congress) મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમાર જીને કહ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.

પુરીમાં મારા પ્રચારમાં મારી પાસે જે હતું તે બધું મેં આપી દીધું

સુચરિતાએ વધુમાં કહ્યું કે, હું એક પગારદાર વ્યાવસાયિક પત્રકાર હતી. મેં 10 વર્ષ પહેલા ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પુરીમાં મારા પ્રચારમાં મેં મારું સર્વસ્વ આપી દીધું છે. મેં પ્રગતિશીલ રાજકારણ માટે જાહેર દાનની ઝુંબેશ પણ ચલાવી હતી પરંતુ મને વધુ સફળતા મળી નથી. મેં અંદાજિત ઝુંબેશ ખર્ચને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો. આ પછી પણ કંઈ થયું નહીં.

હું પૈસા ભેગા ન કરી શકી, પાર્ટીના તમામ દરવાજા ખખડાવ્યા

કોંગ્રેસના ઉમેદવાર સુચરિતાએ કહ્યું કે હું મારી જાતે ફંડ એકઠું કરી શકી નથી, તેથી મેં તમારા અને અમારી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખટખટાવ્યા અને તેમને પુરી સંસદ બેઠક પર ચૂંટણી પ્રચાર માટે જરૂરી ભંડોળ પૂરું પાડવા વિનંતી કરી. પરંતુ મને કોઈ સમર્થન મળ્યું નહીં. સુચરિતાએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે માત્ર ભંડોળની અછત અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે.

આ પણ  વાંચો - Lok Sabha elections : પ્રચારનો પડઘમ અંતિમ તબક્કામાં, અમિત શાહ, પાટીલ, પ્રિયંકા ગાંધી, આ સ્ટાર પ્રચારકો સભા ગજવશે

આ પણ  વાંચો - અમિત શાહનો ફેક વીડિયો શેર કરનાર Arun Reddy કોણ છે? પોલીસે આપી વિગતો

આ પણ  વાંચો - MussoorieAccident : મસૂરી-દેહરાદૂન રોડ પર કાર ખીણમાં ખાબકી, 5ના મોત

Tags :
Advertisement

.

×