Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્ઞાનવાપીમાં ASIનો સર્વે આ જ રીતે ચાલતો રહેશે, સુપ્રીમ કોર્ટે કહ્યુ આખરે વાંધો શું છે ?

જ્ઞાનવાપી સંકુલના એએસઆઈ દ્વારા સર્વેક્ષણ પર સ્ટે મૂકવાની માંગણી કરનાર મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી પણ ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ASIને કેમ્પસનો સર્વે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા...
જ્ઞાનવાપીમાં asiનો સર્વે આ જ રીતે ચાલતો રહેશે  સુપ્રીમ કોર્ટે કહ્યુ આખરે વાંધો શું છે
Advertisement

જ્ઞાનવાપી સંકુલના એએસઆઈ દ્વારા સર્વેક્ષણ પર સ્ટે મૂકવાની માંગણી કરનાર મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી પણ ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ASIને કેમ્પસનો સર્વે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિવાદિત માળખાને સ્પર્શ ન થાય અને ત્યાં કોઈ ખોદકામ ન થાય. અમે તમામ પક્ષો સાંભળ્યા છે. હાઈકોર્ટે એએસઆઈના એડિશનલ ડાયરેક્ટરની બાંયધરી લીધી છે. તેથી તેમનો નિર્ણય સાચો લાગે છે. આમ, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સાથે સહમતિ દર્શાવી હતી.

મુસ્લિમ પક્ષની અપીલ પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે ASIએ રામ મંદિર વિવાદમાં સર્વે પણ કર્યો હતો. આખરે ASIના સર્વેમાં શું વાંધો છે? અમે ખાતરી કરીશું કે સર્વેક્ષણથી કેમ્પસને કોઈ નુકસાન ન થાય. જણાવી દઈએ કે વારાણસીની જિલ્લા અદાલતે ASI દ્વારા સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો, જેને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. આ પછી હવે સુપ્રીમ કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે. કોર્ટે મુસ્લિમ પક્ષના વકીલોને પૂછ્યું કે અમને જણાવો કે સર્વેમાં શું સમસ્યા હશે. આનાથી શું નુકસાન થઈ શકે, જેની ભરપાઈ ન થઈ શકે?

Advertisement

સુપ્રીમ કોર્ટે કહ્યું કે એએસઆઈએ પહેલા જ કહી દીધું છે કે કોઈ ખોદકામ નહીં થાય. કોર્ટ પણ તેની ખાતરી કરવા માંગે છે. તેમણે કહ્યું કે અમારી તરફથી અમારું કહેવું છે કે સર્વે દરમિયાન વિવાદિત જગ્યાને કોઈ નુકસાન ન થવું જોઈએ. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો પણ કોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલમાં જ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જ્ઞાનવાપીમાં ત્રિશુલ કેમ છે, ત્યાં દેવતાઓની મૂર્તિઓ કેમ દેખાય છે. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે આ મામલે માત્ર મુસ્લિમ પક્ષે જ પ્રસ્તાવ લાવવો જોઈએ અને ઐતિહાસિક ભૂલ સ્વીકારીને તેનું સમાધાન થવું જોઇએ.

Advertisement

આ દરમિયાન મુસ્લિમ પક્ષ અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીએ કહ્યું કે જો સર્વે કરવામાં આવશે તો ઈતિહાસના જૂના જખમો સામે આવશે. વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ જણાવ્યું હતું કે ASI સર્વેમાં ઐતિહાસિક તથ્યો બહાર આવશે. જેના કારણે જૂના ઘા ફરી સામે આવશે. તેમણે કહ્યું કે આ 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટનું પણ ઉલ્લંઘન છે. એટલું જ નહીં, આનાથી દેશમાં ધર્મનિરપેક્ષતાને પણ નુકસાન થશે. તેના પર કોર્ટે કહ્યું કે તમે એક દલીલના આધારે દરેક બાબતનો વિરોધ ન કરી શકો

Tags :
Advertisement

.

×