FSSAIનો મોટો નિર્ણય: હવે ગ્રાહકોને ખાદ્ય સુરક્ષા વિશે મળશે સીધી માહિતી
- FSSAIનો મોટો નિર્ણય: હવે ગ્રાહકોને ખાદ્ય સુરક્ષા વિશે મળશે સીધી માહિતી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા તમામ રેસ્ટોરન્ટ, ઢાબા, કેફે અને ભોજનાલયોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાના લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન પ્રમાણપત્રને એવી જગ્યા પર પ્રદર્શિત કરવામાં આવે જ્યાં ગ્રાહકો તેને સરળતાથી દેખી શકે. આ પ્રમાણપત્ર પ્રવેશ દ્વાર, બિલિંગ કાઉન્ટર અથવા મુખ્ય ડાઇનિંગ એરિયામાં લગાવવામાં આવવો જોઈએ.
હવે આ પ્રમાણપત્રોના પ્રથમ પેજ પર ફૂડ સેફ્ટી કનેક્ટ એપનું ક્યુઆર કોડ પણ હશે. આ QR કોડને ગ્રાહકો સ્કેન પણ કરી શકશે.
- ફરિયાદ દાખલ કરી શકાશે
- ખોટા દાવાઓનો ફરિયાદ કરી શકાશે
- સંબંધિત FBO (Food Business Operator)ની જાણકારી પ્રાપ્ત કરી શકાશે
FSSAIના નોટિફિકેશન અને નવી પહેલને દેખી શકાશે
તમામ FBOsને પોતાની વેબસાઈટ અને ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઉપર પણ QR કોડ અથવા એપ ડાઉનલોડ લિંકને પ્રદર્શિત કરવી પડશે. આ નિયમ FSSAIના 2011ના લાઈસેન્સિંગ રેગ્યુલેશન્સ હેઠળ ફરજિયાત કરવામાં આવ્યા છે. એપના માધ્યમથી નોંધાવવામાં આવેલી ફરિયાદો સીધી સ્થાનિક ફૂડ સેફ્ટી અધિકારીઓ સુધી પહોંચશે, જેનાથી ફરિયાદોનું ત્વરિત સમાધાન સંભવ થઈ શકે છે. FSSAIની આ પહેલ સુરક્ષિત ભોજન, સ્વસ્થ ભારતની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- US India Trade Relation : ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ


