Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવેમ્બર 1થી 5 મોટા ફેરફાર: બેંક, SBI કાર્ડ અને પેન્શન નિયમો જાણો

1 નવેમ્બર 2025થી બેંક ગ્રાહકો, SBI કાર્ડધારકો અને પેન્શનર્સ માટે મોટા ફેરફારો થશે. બેંક ખાતામાં નોમિનીની સંખ્યા 1 થી વધારીને 4 કરી શકાશે. SBI કાર્ડથી શિક્ષણ અને ₹1,000+ વૉલેટ લોડિંગ પર 1% શુલ્ક લાગશે. PNB એ લોકરનું ભાડું ઘટાડ્યું છે. તમામ પેન્શનર્સે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે, અને NPS થી UPS સ્વિચની અંતિમ તારીખ 30 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
નવેમ્બર 1થી 5 મોટા ફેરફાર  બેંક  sbi કાર્ડ અને પેન્શન નિયમો જાણો
Advertisement
  • 1 નવેમ્બરથી 5 નાણાકીય નિયમો બદલાયા (November 2025 Rule Change)
  • બેંક ખાતામાં નોમિનીની સંખ્યા 1 થી વધારીને 4 કરાઈ
  • SBI કાર્ડથી શિક્ષણ/વૉલેટ લોડ (રૂ.1,000+) પર 1% ફી
  • જીવન પ્રમાણપત્ર (Life Certificate) જમા કરાવવાનું શરૂ
  • પંજાબ નેશનલ બેંકના લોકર ભાડામાં ઘટાડો

November 2025 Rule Change : નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશની સામાન્ય જનતા, બેંક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડધારકો અને સરકારી કર્મચારીઓને અસર કરતા અનેક મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ બદલાવમાં બેંક ખાતાઓ અને લોકર્સમાં બહુવિધ નોમિનેશનની સુવિધા, SBI કાર્ડના નવા શુલ્ક, PNBના લોકર ભાડામાં ઘટાડો, લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની પ્રક્રિયા અને NPS થી UPS માં સ્વિચ કરવાની અંતિમ તારીખમાં વધારો જેવા મુખ્ય જોગવાઈઓ સામેલ છે. આ ફેરફારોનો હેતુ બેંકિંગ વ્યવસ્થામાં વધારે પારદર્શિતા લાવવાનો છે, સાથે જ પેન્શન અને ડિજિટલ વ્યવહારો સાથે જોડાયેલા ગ્રાહકોને વધારાની સુવિધા અને સમય આપવાનો છે.

ચાલો જાણીએ કે 1 નવેમ્બર, 2025થી શું શું બદલાઈ રહ્યું છે:

બેંક ખાતાઓમાં હવે ચાર નોમિની બનાવી શકાશે – Multiple Bank Nominations Rule

નાણા મંત્રાલયે આ અંગેની પુષ્ટિ કરી છે કે 1 નવેમ્બર, 2025થી બેંકિંગ કાયદા (સંશોધન) અધિનિયમ, 2025ની કલમ 10 થી 13ની જોગવાઈઓ અમલમાં મૂકાશે. આ નવા નિયમ અંતર્ગત, બેંક ખાતાધારકો હવે માત્ર એકને બદલે ચાર જેટલા નોમિની (વારસદાર) નિયુક્ત કરી શકશે. ખાતાધારક ઈચ્છે તો આ ચારેય વ્યક્તિઓને એકસાથે નોમિની બનાવી શકે છે અથવા તો ઉત્તરાધિકારનો ક્રમ પણ નક્કી કરી શકે છે. આ નિર્ણયથી મૃત્યુ કે અણધારી પરિસ્થિતિઓમાં નાણાંના દાવા સંબંધિત વિવાદો અને વિલંબને મોટા પ્રમાણમાં ઘટાડી શકાશે.

Advertisement

Bank Rules Changes

Bank Rules Changes

Advertisement

SBI કાર્ડના શુલ્ક માળખામાં મોટો ફેરફાર – SBI Card Fee Structure Change

એસબીઆઈ કાર્ડ (SBI Card) દ્વારા તેના શુલ્ક માળખામાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે, જે 1 નવેમ્બર, 2025થી લાગુ થશે. આ નવી ફીસ માળખું અમુક ખાસ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે – ખાસ કરીને શિક્ષણ સંબંધિત ચૂકવણીઓ અને વૉલેટ લોડિંગ ટ્રાન્ઝેક્શન પર. હવે, CRED, Cheq, MobiKwik જેવી થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા કરાયેલ શિક્ષણ-સંબંધિત ચૂકવણીઓ પર 1% શુલ્ક લાગશે. જોકે, સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીની વેબસાઈટ અથવા તેમની POS મશીન પર સીધા જ કરાયેલ ચૂકવણીઓ પર કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, રૂ.1,000થી વધુના દરેક વૉલેટ લોડિંગ ટ્રાન્ઝેક્શન પર પણ 1% શુલ્ક લાગુ કરવામાં આવશે.

PNB દ્વારા લોકર ભાડાના દરોમાં ઘટાડો – PNB Locker Rent Reduction

પંજાબ નેશનલ બેંક (PNB)એ તેના લોકરના ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા જારી કરાયેલ અધિસૂચના (16 ઓક્ટોબર 2025) અનુસાર, આ નવા દર બેંકની વેબસાઈટ પર પ્રકાશનના 30 દિવસ પછી એટલે કે નવેમ્બર મધ્યથી લાગુ થશે. સંશોધિત દરો હેઠળ, તમામ ક્ષેત્રો અને તમામ આકારોના લોકર્સનું ભાડું ઘટાડવામાં આવ્યું છે, જે ગ્રાહકો માટે મોટી રાહતરૂપ સાબિત થશે.

જીવન પ્રમાણપત્ર કરવાની પ્રક્રિયા શરૂ – Life Certificate Submission Deadline

કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પેન્શનધારકો માટે તેમનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર (લાઈફ સર્ટિફિકેટ) 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2025 વચ્ચે જમા કરાવવું અનિવાર્ય છે. આ પ્રમાણપત્ર પુષ્ટિ કરે છે કે પેન્શનર જીવિત છે અને તેમને પેન્શનની ચુકવણી ચાલુ રાખી શકાય. 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરોને પહેલેથી જ 1 ઓક્ટોબરથી જીવન પ્રમાણપત્ર જમા કરવાની સુવિધા મળી ચૂકી છે.

 NPS UPS Switch

NPS UPS Switch

NPS થી UPS માં સ્વિચ કરવાની અંતિમ તારીખમાં વધારો – NPS to UPS Scheme Switch

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS)માંથી એકીકૃત પેન્શન યોજના (Unified Pension Scheme – UPS)માં સ્થળાંતર (Switch) કરવાની અંતિમ તારીખ લંબાવીને 30 નવેમ્બર, 2025 કરી દીધી છે. આ સમયસીમા વર્તમાન કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મૃત કર્મચારીઓના કાયદેસરના જીવનસાથીઓ (જેઓ NPSના કાર્યક્ષેત્રમાં આવે છે) – આ તમામ પર લાગુ થશે.

આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સામે મોટું પગલું : 1 નવેમ્બરથી માત્ર BS-VI વાહનોને જ પ્રવેશ

Advertisement

.

×