Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Crime News: અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિ કરતા ભુવાનો ભાંડો ફૂટ્યો

ફરિયાદી મહિલા પાસે નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર થઈ ગયો
crime news  અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિ કરતા ભુવાનો ભાંડો ફૂટ્યો
Advertisement
  • નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર
  • આરોપી નેનુનાથ ઉર્ફ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી
  • 22 વર્ષીય આરોપી ભુવો ભરત પંડિત બનાસકાંઠાનો રહેવાસી

Crime News: અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિના નામે ઠગાઇ કરનાર ભુવાની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી મહિલા પાસે નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર થઈ ગયો હતો. આ મામલે સેટેલાઇટ પોલીસે આરોપીની ધરપકડ કરીને ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.

આરોપી નેનુનાથ ઉર્ફ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી

આરોપી નેનુનાથ ઉર્ફે ભરત પંડિતની સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 10 માર્ચના રોજ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે ભરત પંડિત નામના આરોપીએ નાગદોષની વિધિ કરવાના નામે તથા રાજસ્થાન ખાતેની જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહીને છેતરપીંડી કરી હતી. આરોપી ભરત પંડિત વિધિના નામે ગુનાહીત કાવતરું રચી રૂપિયા 3 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવીને ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે આરોપી નેનુનાથ ઉર્ફ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી છે.

Advertisement

22 વર્ષીય આરોપી ભુવો ભરત પંડિત બનાસકાંઠાનો રહેવાસી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે 22 વર્ષીય આરોપી ભુવો ભરત પંડિત બનાસકાંઠાનો રહેવાસી છે. આરોપી પરિણીત છે અને એક સંતાન પણ છે. આરોપી ભરત પંડિત અને સિક્કાનાથ નામના આરોપીઓ ગ્રહોના નંગનું વેચીને લોકોને અંધશ્રદ્ધા ફેલાવીને ઠગતા હતા. આ આરોપી પીડિત લોકોની તકલીફ જાણીને તાંત્રિક વિધિના બહાને નિરાકરણ લાવવાનું કહીને છેતરપીંડી કરતા હતા. આરોપીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી પીડિત લોકોનો વિશ્વાસ કેળવતો હતો અને ત્યારબાદ વિધિના નામે માટલી મંગાવીને માટલીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ વસ્તુઓ મુકાવી દેતો હતો. આ માટલીની વિધિના બહાને બહાર મોકલી કિંમતી વસ્તુઓ પોતે લઈ લેતો અને ખાલી માટલી પરિવારને આપી દેતો. જે બાદ જ્યારે તે કહે ત્યારે જ માટલી ખોલવા માટે માટે ભોગ બનનારને જાણ કરતો.

Advertisement

ફરિયાદીને શંકા ગઈ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો

જોકે આ કિસ્સામાં ભુવાને અનેક વાર ફોન કરવા છતાં વારંવાર વાયદા આપતો રહ્યો અને વધારાની વિધિ માટે રકમની માંગણી કરી રૂ 11 લાખની કિંમતનું કેસર મંગાવવા માટે પૈસા માંગ્યા, જેથી ફરિયાદીને શંકા ગઈ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જે બાત તપાસ દરમિયાન આખા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો: Changur Baba Exploit: UP પોલીસનું ઓપરેશન અસ્મિતા, છાંગુર બાબાએ PM Modi ના ફોટાવાળા લેટરહેડનો ઉપયોગ કર્યો

Tags :
Advertisement

.

×