ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : મૃતક રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા, જાણો કોની તરફ ઉઠ્યા સવાલ

રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ
10:41 AM Mar 10, 2025 IST | SANJAY
રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ
GaneshGondal, Gujarat @ Gujarat First

ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમાં રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ. તેમજ વધુમાં મૃતક રાજકુમારના પિતાએ જણાવ્યું કે મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથી. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ન્યાયની માગ કરી છે. તેમજ જણાવ્યું છે કે મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, ન્યાય મળવો જોઈએ. હું ખોટું બોલતો હોય તો મને ફાંસી આપી દો.

જયરાજસિંહ સાથે મારે કોઈ દુશ્મની નથી

જયરાજસિંહ સાથે મારે કોઈ દુશ્મની નથી. જયરાજસિંહને નથી જાણતો, તે પણ મને નથી જાણતા. બધા ગણેશ ગણેશ કહી રહ્યા હતા પણ હું તો ઓળખતો નથી. હું કોઈના પર આરોપ નથી લગાવતો પણ પોલીસ તપાસ કરે. 30 વર્ષથી હું ગોંડલમાં ધંધો કરી રહ્યો છું. હું અગાઉ તમને બધું જ કહી ચુક્યો છું. 4 માર્ચની રાત્રે હીટ એન્ડ રનમાં રાજકુમારનું મોત થયું હતું. જેમાં અજાણ્યા વાહનચાલકની ટક્કરથી રાજકુમારનું મોત થયું હતું. જેમાં રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમાં મૃતક રાજકુમારના બનેવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણો સમગ્ર મામલો :

ગોંડલના યુવાન રાજકુમાર જાટ, જે 7 દિવસથી ગુમ હતા, તેમનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી મળી આવ્યો છે. 4 માર્ચે હિટ એન્ડ રન અકસ્માતમાં તેમના મૃત્યુની નોંધણી કુવાડવા પોલીસ મથકમાં થઈ હતી. રાજકુમારના પિતાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમના સાથીઓ પર રાજકુમારને માર માર્યાનો આરોપ મૂક્યો હતો, જે બાદ રાજકુમાર ગુમ થયા હતા. રાજકુમાર UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Bhavnagar શહેરમાં ધારાસભ્યની કારનો સર્જાયો અકસ્માત, 3 લોકોને ઇજા થઇ

 

Tags :
GaneshGondalGondalGujaratGujarati NewsGujarati Top NewsPolice Gujarat NewsTop Gujarati News
Next Article