Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો, પી.ટી.જાડેજા સામે ફરિયાદ

આરતી કરવાની ના પાડતા પી.ટી.જાડેજા સામે ફરિયાદ થઇ છે. જેમાં સમગ્ર મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન સામે આવ્યું
rajkot  મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો  પી ટી જાડેજા સામે ફરિયાદ
Advertisement
  • આરતી કરવાની ના પાડતા પી.ટી.જાડેજા સામે ફરિયાદ
  • સમગ્ર મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન
  • મારા પિતા 2004થી આ મંદિરના ટ્રસ્ટી છે: અક્ષિતસિંહ

Rajkot: રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો છે. જેમાં આરતી કરવાની ના પાડતા પી.ટી.જાડેજા સામે ફરિયાદ થઇ છે. જેમાં સમગ્ર મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં અક્ષિતસિંહે જણાવ્યું છે કે મારા પિતા 2004થી આ મંદિરના ટ્રસ્ટી છે. અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસ મંદિરે આવ્યા નથી. તથા મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવે છે.

અમરનાથ યુવા ગ્રુપે મંદિર પર ગેરકાયદે કબજો કરવાની તૈયારી કરી

અમરનાથ યુવા ગ્રુપે મંદિર પર ગેરકાયદે કબજો કરવાની તૈયારી કરી છે. જેમાં મંદિરમાં રહેતા પૂજારી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવે છે. મારા પિતાએ યુવા ગ્રુપને કોઈપણ આરતી કરવાની ના પાડી નથી. મંદિરના કબજા માટે આ બધું થઈ રહ્યું છે, જે ખોટું છે. અમે પણ આ મામલે સામે ફરિયાદ નોંધાવીશું. ત્યારે અગાઉ પણ રાજકોટ(Rajkot)ના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના આગેવાન (Kshatriya Rajput Samaj) તેમજ લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લેનાર પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Advertisement

એક કારખાનેદારે પી.ટી. જાડેજા (P.T. Jadeja)પાસેથી રૂપિયા 60 લાખ 3 ટકા વ્યાજે લીધા

એક કારખાનેદારે પી.ટી. જાડેજા (P.T. Jadeja)પાસેથી રૂપિયા 60 લાખ 3 ટકા વ્યાજે લીધા બાદ રૂપિયા 70.80 લાખ ચૂકવી દેવા છતા વધુ વ્યાજ મેળવવા માટે પાંચ એક ઉપર સહી કરાવી મકાનના ઓરિજીનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાખત ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પી.ટી. જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી

પી.ટી. જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી. આ અંગે રાજકોટ પશ્વિમ ઝોનના DCP જગદિશ બાંગરવાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતુ કે પોલીસે સુરેશ પરમારની ફરિયાદના આધારે પી.ટી. જાડેજા વિરુદ્ધ IPCની કલમ 384, 504, 506 તથા મની લેન્ડીંગ એક્ટ કલમ 40, 42 અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે પી.ટી. જાડેજા પાસે નાણા ધીરનાર અંગેનું કોઇ લાયસન્સ નથી, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં મેઘમહેર, અમદાવાદમાં જાણો શું કરાઇ વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×