ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh 2025: મહાકુંભમાં રચાયો હિંદુત્વનો ઇતિહાસ, શ્રદ્ધાળુઓનો આકંડો 40 કરોડને પાર!

Mahakumbh 2025: આજે સવારે 10 વાગ્યા સુધીમાં, પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને વટાવી ગઈ છે.
05:34 PM Feb 07, 2025 IST | VIMAL PRAJAPATI
Mahakumbh 2025: આજે સવારે 10 વાગ્યા સુધીમાં, પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને વટાવી ગઈ છે.
Mahakumbh 2025
  1. પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને પાર
  2. સ્નાન કરનારાઓની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી અપેક્ષા
  3. મૌની અમાવસ્યા પર 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

Mahakumbh 2025: પૃથ્વી પરનો સૌથી મોટો મેળો એટલે મહાકુંભ, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. મહાકુંભમાં ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે આવ્યાં છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં, પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને વટાવી ગઈ છે. 19 દિવસ બાકી હોવાથી, સ્નાન કરનારાઓની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે.

મહાકુંભમાં વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિબિંબ

ત્રણ અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભારત અને દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આમાં 1 કરોડ કલ્પવાસીઓ તેમજ વિશ્વભરના શ્રદ્ધાળુઓ અને સાધુઓનો સમાવેશ થાય છે. હજી પણ પ્રયાગરાજમાં કરોડોની સંખ્યામાં લોકો આવી રહ્યાં છે.

શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે

મૌની અમાવસ્યા પર સૌથી વધુ 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. જ્યારે મકરસંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી બંને દિવસે 2 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પોષ પૂર્ણિમાના દિવસે 1.7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. વધુમાં, વસંત પંચમીના દિવસે 2.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સ્નાન કર્યું હતું.

આ પણ વાંચો: મહાકુંભ પહોંચ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની લીધી મુલાકાત

અત્યાર સુધી સ્નાન કરી ચૂકેલા નોંધપાત્ર વ્યક્તિઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રીઅમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (યુપીના કેબિનેટ મંત્રીઓ સાથે), અને અન્ય અગ્રણી નેતાઓ પહેલાથી જ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. ભારતના માનની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ પણ 10 ફેબ્રુઆરીએ સંગમમાં સ્નાન કરવાના છે. અન્ય નોંધપાત્ર વ્યક્તિઓમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી કૃષ્ણાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે Mahakumbh ને ગણાવ્યું દુનિયાની આસ્થાનું કેન્દ્ર, મુખ્યમંત્રી યોગીના કર્યા વખાણ

આ હસ્તીઓએ પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી

આનંદીબેન પટેલ, રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, હરિયાણાના સીએમ નયાબ સિંહ સૈની, મણિપુરના સીએમ એન. બિરેન સિંહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ. કેન્દ્રીય મંત્રીઓની યાદીમાં ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, શ્રીપદ નાઈક, ડૉ. સુધાંશુ ત્રિવેદી, સુધા મૂર્તિ, રવિ કિશન વગેરે જેવા સંસદસભ્યોનો સમાવેશ થાય છે. અન્ય અગ્રણી વ્યક્તિઓમાં ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સાયના નેહવાલ, જાણીતા કવિ કુમાર વિશ્વાસ, ક્રિકેટર સુરેશ રૈના, આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ ખલી, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા વગેરેનો સમાવેશ થાય છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsHistory of HinduismLatest Gujarati NewsMahakumbh 40 crores devoteesmahakumbh devoteesMahakumbh NewsMahakumbh-2025Prayagraj
Next Article