Maha Kumbh: અમૃતસ્નાન માટે સમય સૂચી જાહેર,બનશે 4 વર્લ્ડ રેકોર્ડ
- અમૃત સ્નાન માટે શુભ મુહૂર્ત
- અમૃત સ્નાનના નિયમો
- મહાકુંભ અને અમૃત સ્નાન
MahaKumbh 2025:પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો ભવ્ય પ્રારંભ થયો છે.પોષ પૂર્ણિમાના સ્નાન ઉત્સવની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ બાદ હવે દરેક વ્યક્તિ મહાકુંભના મહાન સ્નાન એટલે કે શાહી સ્નાનની રાહ જોઈ રહ્યા છે, જેને આ વખતે અમૃત સ્નાન નામ આપવામાં આવ્યું છે. અગાઉની માન્યતાઓને પગલે મહાકુંભ મેળાના પ્રશાસને પણ સનાતન ધર્મના 13અખાડાઓ માટે અમૃતસ્નાન લેવાના આદેશો જારી કર્યા છે.આ અંગે તમામ અખાડાઓને જાણ કરવામાં આવી છે.
મહાનિર્વાણી અખાડા પહેલા અમૃત સ્નાન કરશે
મહાકુંભ મેળા 2025માં અખાડાઓના પરંપરાગત પૂર્વ-નિર્ધારિત સમયપત્રક અનુસાર, અખાડાઓને અમૃતસ્નાનની તારીખો અને તેમના સ્નાનના ક્રમ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. શ્રી પંચાયતી અખાડા નિર્મળના સચિવ મહંત આચાર્ય દેવેન્દ્ર સિંહ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર અખાડાઓના અમૃત સ્નાનની તારીખ, ક્રમ અને સમય વિશે માહિતી આવી છે.
The Maha Kumbh Mela, the world's largest religious congregation, began in Uttar Pradesh's Prayagraj on January 13, 2025, with millions gathering for the first Shahi Snan (royal bath) on the occasion of Paush Purnima. The event, held after a gap of 144 years, marks a significant… pic.twitter.com/6P3WxD9npq
— The Tatva (@thetatvaindia) January 13, 2025
મકરસંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીએ શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં સૌપ્રથમ અમૃતસ્નાન કરશે, જેની સાથે શ્રી શંભુ પંચાયતી અટલ અખાડા પણ ઉપસ્થિત રહેશે. આ અખાડા શિબિરથી સાંજે 5.15 કલાકે પ્રસ્થાન કરશે અને 6.15 કલાકે ઘાટ પહોંચશે. તેને નહાવા માટે 40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. તે ઘાટથી 6.55 વાગે શિબિર પરત ફરશે અને 7.55 વાગ્યે ગંતવ્ય સ્થાને પહોંચશે.
અન્ય અખાડાઓ માટે પણ ફાળવેલ સમય યાદી
બીજા સ્થાને શ્રી તપોનિધિ પંચાયતી શ્રી નિરંજની અખાડા અને શ્રી પંચાયતી અખાડા આનંદ અમૃત સ્નાન કરશે. કેમ્પથી તેનો પ્રસ્થાન સમય 06.05 કલાકનો રહેશે, જે 07.05 કલાકે ઘાટ પર પહોંચશે. સ્નાન કરવાનો સમય 40 મિનિટનો રહેશે, ત્યારબાદ 7.45 કલાકે શિબિર માટે ઘાટથી પ્રસ્થાન થશે. કેમ્પમાં પહોંચવાનો સમય 8.45 નક્કી કરવામાં આવ્યો છે.
અ પણ વાંચો-જાણો આજનો દિવસ કેવો રહેશે : આ રાશિના જાતકોની લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાનો આવશે અંત
કેમ્પમાંથી તેમનો પ્રસ્થાન થવાનો સમય 7 વાગ્યાનો રહેશે
ત્રીજા સ્થાને, ત્રણ સન્યાસી અખાડાઓ અમૃતસ્નાન કરશે, જેમાં શ્રી પંચદાસનમ જુના અખાડા, શ્રી પંચ દશનમ આવાહન અખાડા અને શ્રી પંચાગ્નિ અખાડાનો સમાવેશ થાય છે. કેમ્પમાંથી તેમનો પ્રસ્થાન થવાનો સમય 7 વાગ્યાનો રહેશે. ઘાટ પર પહોંચવાનો સમય 8 વાગ્યાનો છે. સ્નાન માટે 40 મિનિટનો સમય મળશે, ઘાટથી પ્રસ્થાનનો સમય સવારે 8.40 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. કેમ્પમાં આવવાનો સમય સવારે 9.40 કલાકનો રહેશે.
અ પણ વાંચો-Maha kumbh 2025: અમેરિકાના માઈકલ ભાઇ બન્યા 'બાબા મોક્ષપુરી'
અખાડા શિબિરથી સવારે 09.40 વાગ્યે પ્રસ્થાન થશે
ત્રણ બૈરાગી અખાડાઓ પૈકી, પ્રથમ અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અની અખાડા શિબિરથી સવારે 09.40 વાગ્યે પ્રસ્થાન થશે, જે સવારે 10.40 વાગ્યે ઘાટ પર પહોંચશે. 30 મિનિટ સ્નાન કર્યા બાદ આ અખાડા સવારે 11.10 વાગ્યે ઘાટથી નીકળશે અને 12.10 વાગ્યે કેમ્પ પહોંચશે. આ ક્રમમાં અખિલ ભારતીય શ્રી પંચ દિગંબર અની અખાડા સવારે 10.20 કલાકે શિબિરથી પ્રસ્થાન કરશે, 11.20 કલાકે ઘાટ પર પહોંચ્યા બાદ 50 મિનિટ સ્નાન કરશે. આ પછી, તે 12.10 વાગ્યે ઘાટથી નીકળશે અને 13.10 વાગ્યે કેમ્પમાં પરત ફરશે. અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણ અની અખાડા શિબિરથી સવારે 11.20 વાગ્યે શરૂ થશે, જે 12.20 વાગ્યે ઘાટ પર પહોંચશે.
અ પણ વાંચો-મહાકુંભ શરૂ... ₹2000000000000 થી વધુના વ્યવસાયની અપેક્ષા
અમૃત સ્નાન માટે આ વ્યવસ્થા જારી કરવામાં આવી
અહીં એક કલાક સ્નાન કર્યા પછી 15.20 વાગ્યે રવાના થઈને 16.20 વાગ્યે કેમ્પ પર પહોંચીશે.છેલ્લે શ્રી પંચાયતી નિર્મળ અખાડા સ્નાન કરશે. આ અખાડા 14.40 કલાકે કેમ્પ છોડશે અને 15.40 કલાકે ઘાટ પર પહોંચશે. 40 મિનિટ સુધી સ્નાન કર્યા પછી 16.20 વાગ્યે ઘાટથી રવાના થઈને 17.20 વાગ્યે કેમ્પ પર પહોંચીશે. મકર સંક્રાંતિ અને વસંત પંચમીના અમૃત સ્નાન માટે આ વ્યવસ્થા જારી કરવામાં આવી છે.


