અઠવાડિયામાં 5 દિવસ ડાયાલિસિસ, પદયાત્રા બંધ છતા પ્રેમાનંદ મહારાજે આપ્યું પ્રવચન, જાણો શું કહ્યું?
- ખરાબ તબિયતને કારણે પ્રેમાનંદ મહારાજે બંધ કરી પદયાત્રા (Premanand Maharaj Health)
- એક અઠવાડિયામાં પાંચ વખત કરવામાં આવી રહ્યું છે ડાયાલિસિસ
- મહારાજજીની ગંભીર પરિસ્થિતિ છતા આપી રહ્યા છે પ્રવચન
- મહારાજજીનું પ્રવચન સાંભળીને લોકો થઈ ગયા ભાવુક
Premanand Maharaj Health : વૃંદાવનના કેલી કુંજ આશ્રમમાં બિરાજતા સંત પ્રેમાનંદ મહારાજ આજે લાખો-કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયા છે. માત્ર વૃદ્ધો જ નહીં, યુવાનો અને બાળકો પણ તેમના પ્રવચનો સાંભળવા માટે આતુરતાથી દોડી આવે છે. મહારાજની વિશેષતા એ છે કે તેઓ જીવનના દરેક ક્ષેત્રના લોકોને સરળતાથી સમજાય તે રીતે સકારાત્મક વિચારો દ્વારા માર્ગદર્શન આપે છે.
તાજેતરમાં, પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય બરાબર ન હોવાથી તેમના ભક્તોમાં ચિંતા હતી. મળેલા અહેવાલો મુજબ, મહારાજની બંને કિડની ખરાબ છે, જેના કારણે તેમને સપ્તાહમાં પાંચ દિવસ ડાયાલિસિસ કરાવવું પડે છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, મહારાજ કલાકો સુધી આશ્રમમાં બેસીને પ્રવચન આપે છે અને ભક્તોને દર્શન આપવા માટે પદયાત્રા પણ કરે છે.
View this post on Instagram
પદયાત્રા રોકાતા ભક્તોમાં બેચેની (Premanand Maharaj Health)
ત્રણ દિવસ પહેલા જ્યારે સ્વાસ્થ્યના કારણોસર પ્રેમાનંદ મહારાજની પદયાત્રા રોકવામાં આવી, ત્યારે તેમના ભક્તો બેચેન થઈ ગયા હતા. જોકે, મહારાજે પોતાના શારીરિક દર્દની પરવા ન કરીને તાજેતરમાં પ્રવચન આપ્યું હતું, જેને સાંભળીને લોકો ભાવુક થઈ ગયા હતા.
જુના પ્રવચનમાં આપ્યો જીવનનો મર્મ: 'ધર્મપૂર્વક ચાલજો'
આ દરમિયાન, પ્રેમાનંદ મહારાજનું એક જૂનું પ્રવચન સોશિયલ મીડિયા પર ફરીથી ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં મહારાજે એક એવી વાત કહી છે, જે કોઈપણ વ્યક્તિના જીવનને બદલી શકે છે. મહારાજ આ વીડિયોમાં ભાવુક થઈને કહેતા જોવા મળે છે: "અરે, જો હું કાલે મૃત્યુ પામું, તો તમે આજીવન અમારી વાણી મુજબ ચાલજો. ધર્મ પૂર્વક ચાલજો, ક્યારેય ધર્મની વિરુદ્ધ ન ચાલશો. તમે કોઈ વૈભવના ગુલામ ન બનશો, ફક્ત શ્રીજીની ગુલામી કરજો."
સોશિયલ મીડિયા પર લોકોએ આપ્યો પ્રતિભાવ
પ્રેમાનંદ મહારાજનો આ સંદેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો મોટી સંખ્યામાં કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "મહારાજજીએ આગળ સુધીનું જ્ઞાન આપ્યું છે." જ્યારે અન્ય એક ભક્તે તેમની લાંબી ઉંમરની પ્રાર્થના કરતાં લખ્યું, "તમારા જેવું કોઈ નથી મહારાજજી, તમારી ઉંમર લાંબી રહે, મૃત્યુની વાત ન કરો." મહારાજ તેમના ભક્તોને ધર્મ અને સાદગીના માર્ગ પર ચાલવાનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે.
આ પણ વાંચો : Shukra Rashi Parivartan : 9 ઑક્ટોબરે કન્યામાં શુક્ર, 3 રાશિઓને મળશે ધનલાભ


